ફિલ્મ - બાવર્ચી - જબરદસ્ત સંદેશ

 


1972માં આવેલી આ બાવર્ચી ફિલ્મ 1966માં આવેલી એક બંગાળી ફિલ્મ પરથી બનેલી છે .  જેની આખી સ્ટોરી અને સંદેશ બહુ જ સરસ છે .  રાજેશ ખન્નાની અને બીજા કલાકારોની એકટીંગ લાજવાબ છે .  હૃષીકેશ મુખરજીની ફિલ્મ છે . સંગીત બહુ સરસ છે .  

એક અશાંતિ ભરેલું ઘર છે ,  કારણ કે ઘરના લોકોમાં આપસમાં બનતું નથી .  એક બીજાની નિંદા કરવાથી અને બીજામાં માત્ર અવગુણો જ જોવાથી, પોતે બધી રીતે સારા અને બીજા ખરાબ , પોતે બીજા કરતા શ્રેષ્ઠ ,  વધારે મહેનતુ , સારા અને સાચા અને જયારે બીજા એનાથી ઉલ્ટા. જ્યાં આવું હોય એ ઘરમાં અશાંતિ જ હોય.  

પણ રઘુ (રાજેશ ખન્ના) આ ઘરમાં એક બાવર્ચી તરીકે આવે છે અને ઘરની આખી પરિસ્થિતિ બદલે છે .  લોકોને એકબીજામાં સારું જોવાની અને બીજા પ્રત્યે સારું વિચારવાની અને પ્રેમ કરવાની વાત કરે છે,  જેમાં એ સફળ રહે છે . આનાથી ધીરે ધીરે લોકોની માનસિકતા બદલે છે. અને એક અશાંતિથી ભરેલું ઘર શાંતિથી ભરેલું થઇ જાય છે .  

પછી આ ઘરેથી વિદાય લઇને આવા કોઈ બીજા ઘરની તલાશમાં અને એને બદલવા માટે નીકળી જાય છે . 

1972 માં રજુ થયેલી આ ફિલ્મની વાત દરેક સમય લાગુ પડે છે . ખાસ કરીને આજે અને ખાસ કરીને ઑફિસના કામકાજના સ્થળે. 

"રઘુ" એ કહેલું અને કરેલું કાર્ય બહુ જરૂરી છે .  લોકો સમજે તો આખી પરિસ્થિતિ જ બદલાઈ જાય . 

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો